Chapter : અઝાન અને નમાઝનો વખત
(Page : 153)
સવાલ(૧૩૭–૧૭) ગુરૂબે આફતાબ પછી મગરિબનો ટાઈમ કેટલો રહે છે ? હાલમાં સાત વાગે ગુરૂબ થાય છે,તો ત્યારબાદ કેટલા વાગ્યા સુધી પઢી શકાય ? અને કેટલા વાગે કઝા થઈ જાય ?
જવાબ(૧૩૭–૧૭) ચાલુ એપ્રીલ માસમાં મગરિબ ઈશાં વચ્ચેનું અંતર ૧–૧૩ છે,એના અંદર પઢવાથી અદા લેખાશે,ત્યારબાદ કઝા થશે,પરંતુ ઈમામ સાહબના બન્નેવ શાગિર્દો અને ઈમામ શાફેઈ (રહ.) ના મઝહબ પ્રમાણે મગરિબનો ટાઈમ તંગ (ઓછો) છે. જેથી વહેલી તકે પઢી લેવી જોઈએ કે કોઈના પણ કથન મુજબ કઝા લેખાય નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૧૭)
Log in or Register to save this content for later.