Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 165)
સવાલ(૧૬૧–૪૧) અમારે ત્યાં ઈંગ્લેન્ડમાં કેટલાક આલિમો મસ્જિદોમાં ઈમામતનું કામ કરે છે અથવા તો પ્રાઈવેટમાં બચ્ચાંઓને તા’લીમ આપે છે તે સાથેજ તેઓ (ઈમામત અને ટયુશનની આવક છતાં) સરકાર જે બેકારી ભથ્થું આપે છે તે પણ લે છે. (અહિં બેકારી એક મોટો ગુનોહ છે) તો આવા આલિમ અંગે શું હુકમ છે ? તેમજ તે દીની સંસ્થા અંગે શું હુકમ છે જે આવી બાબતો ચલાવી લે છે ?
જવાબ(૧૬૧–૪૧) ઉપરોકત આલિમ (મોલ્વી) લાચારીથી આવું કરે તો વાંધો નથી,પરંતુ તેવણે પોતાની લાચારી સંસ્થા સમક્ષ જાહેર કરવી જોઈએ કે, મને મળતાં પગારથી મારૂ પોષણ થતું નથી જેથી હું કલેઈમ કરૂ છું, અને લોકોએ તેમને એટલો પગાર આપવો જોઈએ કે જેનાથી તેમનું ભરણ પોષણ થઈ શકે. જો લોકો ખ્યાલ કરી પગાર ન વધારે તો પછી સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવી જોઈએ, વગર મજબૂરીએ આ પ્રમાણે ભથ્થું લે (માલની લાલચમાં) તો તે ગુનોહ છે, અને એવો આલિમ ફાસિક ગણાશે,સંસ્થાએ રોકવું જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (હિદાયાઃ ૧/૧રર)
Log in or Register to save this content for later.