નમાઝમાં નિય્યત કરવી.

Chapter : નમાઝના ફરાઈઝ, વાજીબાત, સુન્‍નતો

(Page : 155)

સવાલ(૧૪૧–ર૧) નમાઝ માટે નિય્યત કરવું કેવું છે? વાજિબ છે કે ફર્ઝ?

જવાબ(૧૪૧–ર૧) નિય્યત નમાઝની શર્તો પૈકી એક શર્ત છે. વિના નિય્યતે નમાઝ દુરૂસ્ત થશે નહિં, જેમકે હદીષશરીફમાં છે ‘‘ ઇન્‍નમલ આમાલો બિન્નિય્યાત  અર્થાત બેશક અઅમાલ નિય્યતથી છે, નિય્યત અસલમાં દિલમાં નિર્ણય કરવાનું નામ છે. ઝબાનથી કરવી જરૂરી નથી, ફર્ઝ તથા વાજિબ નમાઝ માટે નિય્યત નકકી કરવી જેમકે ઝોહરના ફર્ઝ અથવા વિતર વાજિબ પઢું છું બીજી નમાઝો માટે મુતલક નિય્યત કાફી છે. ફકત અલ્લાહતઆલા વધુ જાણનાર છે.      (હિદાયા : ૧/૯૬, શામી  :ર/૭ર)

Log in or Register to save this content for later.