નફિલ નમાઝ પઢનાર ઈમામ પાછળ ફર્ઝ પઢવી.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 163)

સવાલ(૧પ૮–૩૮) એક માણસે ફર્ઝ નમાઝ એકલા પઢી લીધી,બાદમાં બીજા માણસો નમાઝ પઢવા માટે આવ્યા તો હવે મજકૂર માણસે તેઓની નમાઝ માટે ઈમામત કરવી કે નહિં ? અગર તેઓ જમાઅત બનાવી નમાઝ પઢે તો મજકૂર માણસે ફરીવાર નમાઝમાં સાથ દેવો કે નહિં ?

જવાબ(૧પ૮–૩૮) ફર્ઝ નમાઝ એકલા પઢી લીધા બાદ જમાઅત થાય તો ઝોહર અને ઈશામાં નફિલની નિય્યતથી જમાઅતનો સવાબ પ્રાપ્ત કરવા ઈકતિદા કરી શકાય, બીજી નમાઝોમાં નહિં,એ ફર્ઝ પઢનાર (ફર્ઝ પઢી લેનાર) તેમનો ઈમામ થઈ શકતો નથી,કારણ કે એની આ નમાઝ નફિલ છે,અને તેઓની ફર્ઝ છે,ફર્ઝ (નમાઝ) પઢનાર ની નફિલ (નમાઝ) પઢનાર પાછળ ઇક્તિદા દુરૂસ્ત નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.   (શામીઃ ર/૩ર૧ તથા ૩ર૪. )

Log in or Register to save this content for later.