Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 158)
સવાલ(૧પ૦–૩૦) હમારા ગામના મુદર્રિસની દાઢી ત્રણ આંગણ જેટલી છે,તો તેમની પાછળ નમાઝ થશે કે નહિં ? દાઢી કેટલી હોવી જોઈએ ?
જવાબ(૧પ૦–૩૦) દાઢી એક મુઠ રાખવી વાજિબ છે,એથી વધુ કપાવી શકાય,મુઠથી ઓછી દાઢીવાળો ફાસિક લેખાશે,અને ફાસિકની ઈમામત મકરૂહ છે,જો તૌબા કરીને મુઠ બરાબર દાઢી રાખે નહિં તો ઈમામતથી છુટા કરવામાં આવે,ફાસિક ઈમામતના પાત્ર નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ઈમદાદુલ ફતાવાઃ૧/૩૭૯ )
Log in or Register to save this content for later.