તકબીરે તહરીમાં સિવાયની તકબીરો સુન્નત છે.

Chapter : નમાઝના ફરાઈઝ, વાજીબાત, સુન્‍નતો

(Page : 154)

સવાલ(૧૪૦–ર૦) જમાતથી નમાઝ પઢતા હોય અને ઈમામ સા.જયારે અલ્લાહુ અકબર કહી રૂકૂઅ અથવા સિજદામાં જાય ત્યારે મુકતદીએ પણ તકબીર દિલમાં બોલવી જોઈએ કે નહિં ? એક હાફેઝ સા. નું કહેવુ છે કે મુકતદીએ દિલમાં પણ ઈમામ પાછળ તકબીર બોલવી નહિં જોઈએ,તો એ વિષે શું હુકમ છે ?

જવાબ(૧૪૦–ર૦) તકબીરે તહરીમાં સિવાય રૂકૂઅ–સિજદહ વિગેરેની તકબીરો સુન્‍નત છે.વાજિબ નથી,મુકતદી દિલમાં કહે જેથી સુન્‍નતનો સવાબ મળે,કહેવી જ જોઈએ એમ જરૂરી માનવું ખોટું છે,ના કહેવાથી એ સુન્‍નતનો સવાબ ઓછો મળશે. હાફેઝ સા.નું મંતવ્ય ખોટુ છે,દિલમાં કહેવામાં કાંઈ વાંધો નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/૬૮)

Log in or Register to save this content for later.