ગેરમુકલ્લિદની ઈમામત વિષે.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 157)

સવાલ(૧૪૬–ર૬) એહલે હદીષ–ગેરમુકલ્લિદ પાછળ નમાઝ પઢવી કેવી છે ?

જવાબ(૧૪૬–ર૬) એહલે હદીષ(ગેરમુકલ્લિદીન)પાછળ નમાઝ દુરૂસ્ત છે,પરંતુ જે મુકલ્લિદીનની સરણીનો ખ્યાલ રાખતો ન હોય અથવા મુકલ્લિદોને મુશ્‍રિક,બિદઅતી માનતો હોય તેની પાછળ નમાઝ મકરૂહ છે.મુજતહિદ ઈમામોને ખાસ કરીને ઈમામ અબૂહનીફા (રહ.) ને સખત વખોડે છે,અમુક તો તકલીદને શિર્ક,બિદઅત કહે છે,હાલાં કે આ અહિનતાના યુગમાં ગુમરાહી થી બચવા તકલીદે શખ્સી (એક ઈમામની તકલીદ) જરૂરી છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (કિફાયતુલ મુફતીઃ ૩/૮૧)

Log in or Register to save this content for later.