ઈમામ પોતાના મસ્લક વિરૂધ્ધ નમાઝીનો ખ્યાલ ન કરે.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 161)

સવાલ(૧પ૪–૩૪) હનફી ઈમામ શાફેઈ મુકતદીઓનો ખ્યાલ કરે,જેમકે સૂરએ ફાતિહા પઢવા પછી સૂરએ ફાતિહા પઢવા બરાબર ચુપ રહે,અને શાફેઈ ઈમામ હનફી મુકતદીઓની રિઆયત કરે જેમકે બન્‍ને હાથો ન ઉઠાવે, તો નમાઝ સહી થશે કે નહિં ? હનફી ઈમામ સૂરએ ફાતિહા પછી સૂરએ ફાતિહા પઢવા બરાબર ચુપચાપ ઉભા રહે,તો શું સિજદએ સહવ વાજિબ થશે કે નહિં ? અને નમાઝ સહી થશે ?

જવાબ(૧પ૪–૩૪) ઈમામ મતબૂઅ અને મુકતદી તાબે હોય છે,માટે ઈમામ મુકતદીઓની રિઆયત કરી પોતાના મસ્લક (તરીકા) વિરૂધ્ધ ન કરે, હનફીની ઈકતિદા શાફેઈ પાછળ અને શાફેઈની ઈકતિદા હનફી પાછળ જાઈઝ છે.જો હનફી ઈમામ શાફીઓનો ખ્યાલ કરી સૂરએ ફાતિહા પઢવા પછી ત્રણ તસ્બીહ પઢવા બરાબર ચુપ રહેશે તો સિજદએ સહવ વાજિબ થશે,નહીં તો નમાઝ લોટાવવી પડશે. અને શાફેઈ ઈમામ બન્‍ને હાથ ઉઠાવવાના છોડી દેશે તો નમાઝ સુન્‍નત વિરૂધ્ધ થશે, સિજદએ સહવ વાજિબ ન થશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ  ર/૩૦ર તથા ૩૦૩, હિદાયાઃ૧/૧પ૭)

Log in or Register to save this content for later.