Chapter : હૈઝ નિફાસ
(Page : 140)
સવાલ(૧૦પ–૩૭) સ્ત્રી પોતાના દૈનિક મામૂલ મુજબ હૈઝની હાલત–માસિકના દિવસોમાં દુરૂદ શરીફ પઢી શકે ? ઈસ્તિગફાર તથા અન્ય વિર્દ,જિક્ર, પઢવાનો શું હુકમ છે ?
જવાબ(૧૦પ–૩૭) હૈઝની હાલતમાં–માસિક આવતું હોય તે દિવસોમાં ફકત તિલાવત કરવાની મનાઈ છે,જિક્ર,ઈસ્તિગફાર,દુરૂદ શરીફ પઢવાની મનાઈ નથી, મામૂલ મુજબ વઝીફો પઢતાં રહેવું જોઈએ,તેમજ તૌબહ,ઈસ્તિગફાર,દુરૂદ શરીફ પણ પઢતાં રહેવું જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (ફતાવા દારૂલ ઉલૂમ :૧/ર૮૦ શામીઃ ૧/૪૮૭ તથા ૪૮૮)
Log in or Register to save this content for later.