હુઝૂર (સ.અ.વ.) ની નઝરમાં ગરીબ માણસ.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 118)

સવાલ(પ૭–પ૭) કયા ગુનાહ એવા છે જે સવાબને બરબાદ કરી દે,અને કયા સવાબ એવા છે જે ગુનાહોને બરબાદ કરી દે છે ?

જવાબ(પ૭–પ૭) સવાબના મુકાબલામાં સંગીન અને મોટા ગુનાહો કરવાથી સવાબ મિટાવવામાં આવતો નથી,એ અલ્લાહની મહેરબાની છે,પરંતુ સવાબ કરતાં ગુનાહોની સજા ભારે હોવાથી મોટો ગુનેહગાર ઠરે છે,સવાબની આઈટમ ઉધાર ખાતા સમાન હોય છે;

                સહીહ હદીષ છે કે એકવાર હઝરત (સ.અ.વ.)એ સહાબા (રદિ.)ને પુછયું કે તમે જાણો છો મુફલિસ કોણ ? સહાબાએ કિરામ (રદિ.)એ ઉત્તર આપ્યો કે હે અલ્લાહના રસૂલ(સ.અ.વ.) મુફલિસ(ગરીબ) તે જેના પાસે નાણાં અને માલ સામાન ન હોય,ત્યારે હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું કે મારી ઉમ્મતના મુફલિસ તે લોકો છે જેઓ પાસે કયામતના દિવસે નેકીઓ ખુબ હશે,જેમકે નમાઝ,રોઝા,ઝકાત વિગેરે હશે,પરંતુ કોઈનું ખૂન કર્યુ હશે,કોઈના માલ લુટયા હશે,કોઈને ગાળો ભાંડી હશે, સારાંશ કે નેકીઓ સાથે આ ગુનાહના કામો કર્યા હશે,તે મુફલિસ,નાદાર સમાન લેખાશે,જમાખાતામાં ઓછુ અને ઉધાર ખાતામાં વધુ હોય તો નુકશાનમાં હોવું સંભવિત ખુલ્લી વાત છે, અલ્લાહ સાથે શિર્ક અને કુફ્ર કરવું બધી નેકીયોને બરબાદ કરી દે છે,તેમજ કુફ્ર છોડી ઈસ્લામ સ્વીકારવું આગલા ગુનાહોને મિટાડે છે,અને ખરેખર નેકીઓ,સવાબના કાર્યો બુરાઈઓને મિટાવે છે,એ અલ્લાહ તઆલાની મોટી કૃપા છે, કુર્આન શરીફમાં છે,” ઈન્‍નલ હસનાતિ યુજહિબ્નસ્સય્યિઆત ”  અર્થાત નિઃશંક નેકીઓ બુરાઈઓને દૂર કરે છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (મિશકાત શરીફઃ પેજ–૪૩પ)

Log in or Register to save this content for later.