Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 109)
સવાલ(૩૯–૩૯) નબીયે કરીમ (સલ.)ને ઈલ્મે ગૈબ કુલ્લી હતો,એવો અકીદો રાખવું કેવું છે ? આપ (સલ.) એ પોતાની જીંદગીમાં દસ સહાબાને જન્નતી હોવાની ખુશખબરી આપી હતી ? વિગેરે વિગેરે દલીલો પેશ કરે છે, તો ખુલાસો જણાવશો.
જવાબ(૩૯–૩૯) બેશક રસૂલુલ્લાહ (સલ.) ને અલ્લાહે એટલા ગૈબોનો ઈલ્મ આપ્યો હતો કે ગણી શકતા નથી,હમારો અકીદો છે કે અલ્લાહ તઆલા પછી સૌથી વધુ ઈલ્મ,નબીયે કરીમ (સલ.) નું છે. જેમકે હદીષમાં છે, કે મને આગલી પાછલી વસ્તુઓનો ઈલ્મ અર્પણ થયો છે,તે છતાં આપ (સલ.)ને આલિમુલ ગૈબ (ગૈબના જાણકાર) કહેવું અથવા માનવું સહીહ નથી,કારણ કે ઈલ્મે ગૈબનો મતલબ એ છે કે કોઈના બતાવ્યા વિના પ્રાપ્ત થયું હોય,નહીંતર આપ તો ઉમ્મી હતા.આલિમે ગૈબ તો ખાસ અલ્લાહની સિફત છે,જેમકે કુર્આન શરીફમાં છે કે અલ્લાહ સિવાય કોઈ ઈલ્મે ગૈબ જાણતો નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(કિફાયતુલ મુફતીઃ ૧/૮૮ તથા ૧/૧૬૩. શર્હે અકાઈદઃ પેજ–૧૭૦)
Log in or Register to save this content for later.