Chapter : મઅઝૂરના અહકામ
(Page : 129)
સવાલ(૮૩–૧પ) (અ) લંડનમાં અમૂક મુસલમાન બહેનો નમાઝની પાબંદી કરવા ઈચ્છે છે,પરંતુ એક મિનિટ પણ વુઝૂ રહેતુ નથી,વુઝૂ બનાવે કે તુરત જ પાછળથી હવા નીકળી જાય છે,અથવા નમાઝની હાલતમાં નીકળી જાય છે, એક રકાત તો ભાગ્યે જ પઢી શકાય,પાછુ વુઝૂ કરે અને વુઝૂ તુટી જાય,ઘડીએ ઘડીએ વુઝૂ કરવા છતાં વુઝૂ રહેવાનો સંભવ રહેતો નથી,તો એ બાબતમાં શું કરવું જોઈએ ?
જવાબ(૮૩–૧પ) (અ)દર્શાવેલ ઉઝર (હવા છુટવાના રોગ)વાળો માણસ શરીઅતની રૂએ માઅઝૂર લેખાશે,ઉઝર સાબિત થવા માટે શરૂઆતમાં ઉપરોકત ઉઝર એક નમાઝનો પુરો ટાઈમ ઘેરી લે,કે વુઝૂ કરી ફર્ઝ નમાઝ પઢવાનો પણ ટાઈમ મળે નહિં,તે માઅઝૂર લેખાશે,તેવા માણસ માટે શરીયતે ઘણી સરળતા આપી છે,નમાઝનો ટાઈમ થાય વુઝૂ કરીને નમાઝ પઢે ભલેને હવા છુટતી રહે,એ ઉઝરથી વુઝૂ તુટશે નહિં,નમાઝમાં ઉણપ આવશે નહિં, નમાઝનો ટાઈમ વીતી જવાથી નવુ વુઝૂ કરવું પડશે,પછી નમાઝના ટાઈમમાં એક વાર પણ એ ઉઝર દેખાશે ત્યાં સુધી એ માઅઝૂર ગણાશે, જયારે એ ઉઝર મટી જાય એટલે પુરા ટાઈમમાં એક વાર પણ ઉઝર–રોગ દેખાય નહિં,આખો ટાઈમ સલામત પસાર થાય તો હવે માઅઝૂર રહેશે નહિં, રસુલુલ્લલહ (સ.અ.વ.)ની શરીઅતમાં સહુલત છે,એવા ઉઝરના કારણે નમાઝ છોડે નહિં, ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (હિદાયા : ૧/૬૭.શામી : ૧/પ૦૪)
સવાલ(૮૩–૧પ) (બ)ચાલુ નમાઝમાં હવા છુટી જાય છે આમ જયારે પણ હું નમાઝ પઢું છું હવા છુટી જાય છે. મને હવા છુટવાની બીમારી છે માટે મારે શું કરવું ? વારંવાર વુઝૂ કરવું કે નહિં ?
જવાબ(૮૩–૧પ) (બ) હવા છુટવાની બીમારી એક નમાઝના પુરા વખતને ઘેરી લે એટલે ફર્ઝ નમાઝ પઢવાનો મોકો વિના હદસે (હવા છુટવી) મળે નહિ તો માઝૂર લેખાશે
માઝૂરનો હુકમ આ છે કે દરેક નમાઝના ટાઈમે વુઝુ કરી નમાઝ પઢે ભલેને તે હવા છુટતી રહે એ બીમારીથી વુઝૂ તૂટસે નહિં દરેક નમાઝના વખતે વુઝૂ કરવુ પડશે માઝૂર થવા બાદ બીજી નમાઝોના વખતોને ઘેરી લેવુ શર્ત નથી બલ્કે પૂરા ટાઈમમાં એકવાર પણ બીમારી જણાય ત્યાં સુધી માઝૂર લેખાશે જયારે પુરો વખત તંદુરૂસ્તીથી (ઉપરોકત ઉઝર વગર) પસાર થઈ જાય ત્યારે માઝૂર ગણાશે નહિ.ફકત અલ્લાહ વધુ જાણનાર છે.(હિદાયાઃ૧/૬૭. શામીઃ૧/પ૦૪)
Log in or Register to save this content for later.