શહીદો અફઝલ છે કે રસૂલો ?

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 120)

સવાલ(૬૦–૬૦) શહીદો અને રસૂલોના મર્તબામાં સર્વશ્રેષ્ઠ મર્તબો કોનો છે? એક ભાઈ એવી દલીલ કરે છે,શહીદોના મર્તબા અલ્લાહ તઆલાએ સર્વશ્રેષ્ઠ કરેલ છે,જયારે પયગંબરો આ દુનિયાથી વિદાય લે છે,તો તેમને બાકાયદા ગુસલ આપવામાં આવે છે,પરંતુ શહીદો માટે એ હુકમ છે કે શહીદોને તેજ હાલમાં દફન કરી આપો,કેમકે પાણીમાં એ તાકાત નથી કે શહીદોના શરીરને સ્પર્શ કરી શકે છે તો એ દલીલ કેટલી હદે સાચી છે? તે લખશો.

જવાબ(૬૦–૬૦) એહલે સુન્‍નત વલ જમાઅતનો ઈજમાઅ–સંમતિ છે કે અલ્લાહ તઆલાના પછી સર્વશ્રેષ્ઠ રસૂલો(સ.અ.વ.) છે,ખુદાપાકે તેઓને સર્વોચ્ચ રિસાલતપદ પર સરફરાજ–બિરાજમાન કર્યા છે,જેના બરાબર કોઈ મનસબ– હોદ્દો નથી,ટાંકેલ દલીલના આધારે પયગમ્બરો ઉપર શહીદોને ફઝીલત આપવી જહાલત છે,ખુદાપાકે એક હિકમત(ખૂનમાં લતપત ઉઠાવવામાં આવશે,)ના લઈને ગુસલનો હુકમ આપ્યો નથી. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (શર્હે અકાઈદઃ ૧૭૬)

Log in or Register to save this content for later.