વધુ ઔલાદ દુન્યવી આફત છે ?

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 115)

સવાલ(પ૩–પ૩) ઈસ્લામી તા’લીમ ઉર્ફે હઝરત મુજદ્દિદ અલ્ફે સાની (રહ.)માં અનમોલ મોતીની કોલમમાં ઘણી સારી વાતો લખી છે, તેમાં આ બાબત લખી છે કે ચાર ચીઝ દુન્યવી આફત છે,તેમાં વધુ ઔલાદ અને ગરીબાઈનું વર્ણન છે,તો એ વિષે સમજાવશો,ઘણી કિતાબોમાં એમ જોયું કે વધુ ઔલાદ આપનાર ઓરત સાથે નિકાહ કરો,ગરીબાઈ તો ઈસ્લામને ઘણી પસંદ છે,તો ખુલાસો સમજાવશો.

જવાબ(પ૩–પ૩) દર્શાવેલ પુસ્તિકામાં (ઈસ્લામી તા’લીમમાં) ટાંકેલી વાત (અણમોલ મોતી નં.રર) બરાબર ખરી છે,ગરીબાઈ અને વધુ ઔલાદ દુન્યવી આફત છે,અને તેની ફઝીલત આખિરતમાં મળશે,જેમકે હદીષ શરીફમાં છે કે ગરીબો માલદારો કરતાં પાંચસો વરસ પહેલાં જન્‍નતમાં દાખલ થશે,દુનિયામાં તો ગરીબાઈ અને વધુ ઔલાદ પરેશાની અને ચિંતાનો સબબ છે,જેમકે આપણે આંખે જોઈ રહયા છીએ. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (મિશકાત શરીફઃ પેજ–૪૪૭. મઝાહિરે હકઃ ૬/૭૮)

Log in or Register to save this content for later.