મૌદૂદી જમાઅતની માન્યતા.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 110)

સવાલ(૪૧–૪૧) આપના નેતૃત્વ હેઠળ,રાંદેર જામિઅહમાં ઉલમાએ કિરામ,મવદૂદીના વધતા પ્રચારને રોકવા ભેગા થયા હતા,તો એનો ખુલાસો લખશો. મોદૂદીયોના ખ્યાલ કેવા છે ? અને એ લોકો અકીદાની રૂએ કેવો પ્રચાર કરે છે ? અને લોકોને શું બતાવે છે ? અમોને એ લોકોના પ્રચાર તેમજ અકીદાઓની ખબર નથી, માટે ખુલાસાથી જવાબ આપશો.

જવાબ(૪૧–૪૧)               મવદૂદી જમાઅતની માન્યતાઓ વિષે દારૂલ ઉલૂમ અશરફિય્યહથી પોસ્ટર અને જામિઅહ હુસૈનિયહ (રાંદેર)થી પુસ્તિકા પ્રગટ થઈ છે,મંગાવી વાંચશો,સહાબા (રદિ.),ઈમામો (રહ.) તથા અવલિયાએ કિરામ (રહ.) ને બુરૂ બોલે છે,એટલું જ નહીં તેઓ નબીયોની પણ ટીકા કરે છે,અને પોતાને જ હક ઉપર માને છે,અને અન્યોની ટીકા કરે છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.