Chapter : પાકી નાપાકીના પરચુરણ મસ્અલા
(Page : 144)
સવાલ(૧૧પ–૪૭) અમારે ત્યાં એક મુસ્લિમ છોકરો છે, જેની ઉંમર ઓછામાં ઓછી ૧૪–૧પ વર્ષની છે,જેની ખત્ના અત્યાર સુધી થઈ નથી હવે શું કરવું જોઈએ ?ખત્ના ન કરાવીએ તો ચાલી શકે કે નહિં ? શરીઅતનો શું હુકમ છે?
જવાબ(૧૧પ–૪૭) જો શરઈ ઉઝર જેમકે માંદગી કે પ્રાણના ભયના લઈ કરાવી ન હોય તો કરાવવી જરૂરી નથી, જો કોઈ ઉઝર ન હોય તો કરાવવામાં આવે,ખત્ના નબીયો (સ.અ.વ.)ની સુન્નત અને ઈસ્લામી શિઆર (પ્રતિક) છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ઈમદાદુલ ફતાવા :૪/ર૩૮ )
Log in or Register to save this content for later.