Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 108)
સવાલ(૩૬–૩૬) તંત્રી સાહેબ આપણી ગુજરાતી મુસ્લિમ સમાજની બહેનોમાં દશ ટકા પણ પરદા અને બુરકાનો રિવાજ નથી,એનુ શું કારણ તે આપ જણાવશો ?
જવાબ(૩૬–૩૬) બહેન આપણા પૂર્વજો અને બુઝુર્ગોના નેક અને નિર્દોષ ખ્યાલોનું આ પરિણામ છે,તેઓના નેક ખ્યાલો એવા હતા કે,આપણી બહેનોએ ચુસ્તપણે આંખો અને દિલનો પરદો રાખવો જોઈએ,અને જો આંખો અને દિલનો પરદો નહિં હોય તો ચહેરા પર કપડાંનો ઢાંકેલો બુરકો તદ્દન નકામો છે,તેનું કંઈ મહત્વ રહેતુ નથી,જો આપણી બહેનોમાં નજરનો અને દિલનો પરદો હોયતો પછી તેના માટે કપડાંના બુરકાની જરૂર રહેતી નથી,અને હકીકતમાં પૂર્વેની આપણી બહેનો આ નેક ખ્યાલોની અને માન્યતાની ચુસ્તપણે અમલ કરતી હતી,તેઓ ખાવિંદ સિવાય પરાહિતને એવી દ્રષ્ટિએ જોતી કે જાણે તેણી પોતાના સગાભાઈને જોતી કેમ ન હોય ! અને દિલમાં પોતાના સગાભાઈ જેવા ખ્યાલો રાખતી હતી. પછી ભલા તેણીઓ માટે પરદાની કે બુરકાની જરૂરત જ શા માટે રેહતી. અને એ રિવાજ તેઓની પેઢી દર પેઢીથી આપણાં યુગ સુધી ચાલતો આવી રહયો છે,અને કયાં સુધી ચાલશે તે તો અલ્લાહ જ બેહતર જાણે છે;
સવાલ એજ છે કે આપણી પૂર્વની બહેનોનું અનુકરણ,આજની આપણી બહેનો સંપૂર્ણપણે બરાબર કરે છે ? જો એનો જવાબ ‘‘હા હોય તો પછી આપણી બહેનોને પણ કપડાંના બુરકાથી ચેહરાને લેશમાત્ર ઢાંકવાની જરાયે જરૂરત નથી. જયારે કે તેણીઓએ દિલ અને નજરનો પરદો ગ્રહણ કર્યો હોય ! ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(શામીઃ ર/૭૯)
Log in or Register to save this content for later.