Chapter : વુઝૂ
(Page : 127)
સવાલ(૭૭–૯) હદીષ શરીફમાં છે કે મિસ્વાક કરવાના સિત્તેર ફાયદાઓ છે,તો મિસ્વાક જંગલી ઝાડનું જોઈએ કે બીજા ગમે તે ઝાડનું ચાલે ? કયા ઝાડનું મિસ્વાક કરવું અફઝલ છે ? કોઈ પણ ઝાડનું મિસ્વાક કરવાથી સુન્નત અદા થશે કે નહિં ?
જવાબ(૭૭–૯) જંગલી ઝાડનું મિસ્વાક હોવું જરૂરી નથી,ગમે તે ઝાડના મિસ્વાકથી સુન્નત અદા થઈ જશે,કોઈ ખાસ ઝાડ નકકી નથી,મિસ્વાકની ફઝીલતો ઈ.અ. પ્રાપ્ત થશે,પિલૂડીના મુળનું અને લીમડાના ઝાડનું મિસ્વાક મુસ્તહબ છે, મિસ્વાક ન હોય તો આંગણીથી અથવા કપડાથી દાંત સાફ કરવાથી પણ સુન્નત અદા થઈ જશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/૭)
Log in or Register to save this content for later.