Chapter : હૈઝ નિફાસ
(Page : 136)
સવાલ(૯૮–૩૦) એક સ્ત્રીને માસિક આવવાની નિયમિત મુદ્દત પ–૬ દિવસની છે,તે સ્ત્રીને ૧–૧૧–૬૭ ના રોજ માસિક આવ્યું,પ–૬ દિવસે પાક થયા પછી, પંદર દિવસ સુધી તેણી પોતાના પતિની સોહબતમાં રહી,પછી ૧–૧ર–૬૭ થી ખૂન આવવાનું શરૂ થયુ,જે તેણીની નિયમિત આદત કરતાં દસ દિવસ વધારે આવ્યું,અને લોહી બંધ થતાંની સાથે જ તેણી આશરે મહીનો સવા મહિનો પોતાના પતિથી દૂર રહી,અને તા. ૧૪–૧–૬૮ થી ફરીવાર પોતાના પતિની સોહબતમાં રહી, તા. ૧–૧ર–૬૭ ના ખૂન આવ્યા પછીથી ફરી ખૂન આવ્યું નહિં,એ સ્ત્રી આશરે ત્રણ માસની સગર્ભા જણાતી હોય તો એના માટે મસ્અલાની રૂએ શું ઉકેલ છે ?
જવાબ(૯૮–૩૦) હમલ–સગર્ભા હોવાના દિવસોમાં માસિક બંધ થઈ જાય છે, બે હૈઝ વચ્ચે ઓછામાં ઓછું અંતર પંદર દિવસ છે,એટલે પંદર દિવસ પછી આવેલુ ખૂન,હૈઝ ગણાશે,અને હૈઝ ની વધુમાં વધુ મુદ્દત દસ દિવસ છે, એથી વધુ ઈસ્તિહાઝા–બીમારીનું ખૂન કહેવાશે,દર્શાવેલ વિગતમાં ૧–૧ર–૬૭ થી આવેલું દસ દિવસ સુધીનું ખૂન,હૈઝ લેખાશે,બીમારીનું કહેવાશે નહી,જેથી તેણીને રહેલો હમલ,ત્યાર બાદના સંભોગનુ ફળ ગણાશે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (હિદાયાઃ૧/૬ર તથા ૬૩)
Log in or Register to save this content for later.