Chapter : હૈઝ નિફાસ
(Page : 137)
સવાલ(૧૦૧–૩૩) એક માણસની ઓરત હૈઝ (માસિક)ની હાલતમાં હતી, તેણે કપડુ લપેટીને ઔરત સાથે સંભોગ કર્યો પછી બન્નેએ તૌબા કરી તો આવુ કામ શરીઅતની રૂએ કેમ છે? કંઈ કફફારો વિગેરે આપવુ જરૂરી છે?
જવાબ(૧૦૧–૩૩) હેઝની હાલતમાં સંભોગ હરામ છે,જેમકે કુર્આનશરીફમાં છે‘વલા તકરબુહુન્ન હત્તા યત્તહુરન અર્થાત હૈઝવાળી ઓરતની પાસે જાઓ નહિં, જયાં સુધી પાક થાય નહિં. એટલે સભોંગ કરવો નહિં, કપડું લપેટીને પણ મના છે. જેથી તૌબા–ઇસ્તિગફાર કરે, અને કફફારો હનફી સરણીમાં વાજિબ તો નથી, પરંતુ મુસ્તહબ છે કે એકાદ રૂપિયો ગરીબને સદકો આપે. (મિશ્કાતશરીફ :પ૬)
જે માણસની શહવત કાબૂમાં ના હોય તેણે તો હૈઝના દિવસોમાં તેણીને હાથ જ લગાડવો જોઈએ નહિં, કે મામલો (વાત) આગળ વધે. અલબત્ત જેને કાબૂ હોય તો ડૂંટીથી ગૂંઠણ સુધી સિવાયના શરીરથી દિલલગી કરી શકે છે. ફકત અલ્લાહતઆલા વધુ જાણનાર છે. (હિદાયા : ૧/ ૬૪ શામી : ૧/૪૮૬)
Log in or Register to save this content for later.