Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 120)
સવાલ(૬૧–૬૧) બુઝુર્ગો પ્રત્યે દુશ્મની રાખનારાઓ માટે શું હુકમ છે?
જવાબ(૬૧–૬૧) બુઝુર્ગાને દીનથી અદાવત–દુશ્મની રાખવી ફિસ્ક એટલે મહાપાપ છે, તેનું ઈમાન ખતરામાં છે,કારણ કે એ બુઝુર્ગો દ્રારા આપણને દીન પ્રાપ્ત થયો,તેમનો જેટલો એહતિરામ કરીએ એટલો ઓછો છે, એહતિરામના બદલે તેમની સાથે અદાવત તેમને ગાળો ભાંડવી,બુરૂ ભલું કહેવું વિગેરેથી વધુ નાકદરી કઈ હશે ! બુઝુર્ગોથી સાંભળ્યું છે કે શીયા લોકો,હઝરત અબૂબકર સિદ્દીક (રદિ.)તથા હઝરત ઉમર (રદિ.)ને બુરૂ ભલુ કહેવાના કારણે કુર્આન શરીફને હિફઝ કરવાની નેઅમતથી વંચિત છે, તેનું કારણ એ છે કે તેઓ મજકૂર બંને સહાબા (રદિ.)ને બુરૂ ભલુ કહે છે, જયારે કે શૈખૈન (હઝરત અબૂબકર સિદ્દીક (રદિ.) તથા હઝરત ઉમર રદિ.) દ્વારા આપણાં સુધી કુર્આન શરીફ પહોચ્યું છે,અલ્લાહની પનાહ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(શર્હે અકાઈદઃ પેજ–૧૬૧)
Log in or Register to save this content for later.