બિન સય્યિદ પણ પીર બની શકે ?

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 121)

સવાલ(૬ર–૬ર) એક મોલવી સાહેબ છે, પોતે નેક માણસ છે, તેઓ સૈય્યિદ નથી,પોતે બીજા માણસોને પોતાના મુરીદ બનાવે છે,એમ જાણીએ છીએ કે સૈય્યિદ હોય તે બીજાના પીર બની શકે છે,અને બીજાઓને પોતાના મુરીદ બનાવી શકે,તો આ બાબતનો યોગ્ય ખુલાસો લખશો ? બિન સૈય્યિદ પીર બની શકે ?

જવાબ(૬ર–૬ર) દર્શાવેલ માન્યતા (બિન સૈય્યિદ પીર બની શકતો નથી) એ માન્યતા ખોટી છે, બિન સૈય્યિદમાં પણ પીરના ગુણો જેમકે આલિમે દીન,શરીઅતનો પાબંદ, સાચા પીરનો ખલીફા વિગેરે હોય તો બીજાઓને મુરીદ બનાવી શકે છે,આજ કાલ દુકાનદાર,પૈસા ના લાલચી, ઠગ પીરો ઘણાં બની બેસેલા છે,માટે અંધશ્રધ્ધા કોઈના હાથમાં હાથ દેવો નહિં,એ બાબત સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, નહિંતર ગુમરાહીનો ભય છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ફતાવા દારૂલ ઉલૂમ દેવબંદઃ ૧/૧૪૪)

Log in or Register to save this content for later.