Chapter : મઅઝૂરના અહકામ
(Page : 129)
સવાલ(૮ર–૧૪) એક માણસના બન્ને હાથ કપાયલા હોય તો તેણે વુઝૂ કેવી રીતે કરવું ? સંડાશ–પેશાબ કર્યા પછી ઈસ્તિન્જો કેવી રીતે કરવો ? ગુસલ કેવી રીતે કરવું ?
જવાબ(૮ર–૧૪) બન્ને હાથ કપાયલો માણસ,લાચારીના લઈ વુઝૂ ગુસલ તથા ઈસ્તિન્જામાં બીજાની મદદ લઈ શકે છે,વિના લાચારીએ મદદ લેવી મના છે, ઉપરોકત માણસની પત્નિ હોય તો તેણી પાસેથી સર્વે કામ લે,જો કહોણીઓ સાથે હાથ કપાયલા હોય તો હાથ ધોવાનો ફર્ઝ વુઝૂમાં બાકી રહેશે નહીં, નહિંતર જેટલો બાકી હશે એટલો ધોવો જરૂરી છે,ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (આલમગીરીઃ ૧/પ શામી : ૧/ર૧૭ તથા રપ૦)
Log in or Register to save this content for later.