Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 117)
સવાલ(પ૬–પ૬) પાછળની જીંદગીમાં નાના,મોટા,જાણીબુઝીને કરેલા એવા ગુનાહ આગળની જીંદગી સુધારવાથી કે તૌબહ કરવાથી ગુનાહ નેકીમાં બદલાય જશે ?
જવાબ(પ૬–પ૬) એહલે સુન્નત વલ જમાઅતની માન્યતા એ છે કે સાચી તૌબહ કરવાથી મોટામાં મોટો ગુનોહ માફ થઈ જાય છે,બંદાના હક જયાં સુધી અદા કરવામાં આવે નહિં માફ થશે નહિં,અને ખુદાપાકની જાતથી ઉમ્મીદ છે કે તે ગુનાહો ને નેકીઓથી બદલી આપે,આ ઉમ્મત પર કેટલો મોટો ઉપકાર કે સાચી તૌબહ કરવાથી મહાન ગુનોહ માફ થઈ જાય છે. આગલી ઉમ્મતો જયાં સુધી પોતાને કતલ કરે નહિં ગુનોહ માફ થતો ન હતો,વિતી ગયેલ વાત તૌબહ કરી ભૂલી જવી જોઈએ, અને ભવિષ્યમાં તેનાથી પરહેઝ કરે.ખુદાપાકની રહમતથી નિરાશ થવું ન જોઈએ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શર્હે અકાઈદઃ પેજ–૧૧ર)
Log in or Register to save this content for later.