Chapter : મઅઝૂરના અહકામ
(Page : 131)
સવાલ(૮૪–૧૬) મને પેશાબની બીમારી છે,પેશાબ કરીને ઉઠું તો પણ પેશાબ ચાલુ રહે છે,વુઝૂ કરવા બેસું ત્યારે ધોય પણ લઉ છું,પણ પેશાબ ચાલુ જ રહે છે,અને તેવી હાલતમાં જમા’ત સાથે અથવા એકલાં નમાઝ પઢવામાં કાંઈ વાંધો આવશે કે કેમ ?
જવાબ(૮૪–૧૬) પેશાબનો રોગ એક નમાઝનો ટાઈમ ઘેરી લે તો શરીઅતની રૂએ માઅઝૂર લેખાશે,પછી તે ઉઝરના કારણે વુઝૂ તુટશે નહિં,ટાઈમ વીતી ગયા પછી ફરી નવેસરથી વુઝૂ કરવું પડશે,નમાઝમાં કાંઈ ઉણપ આવશે નહિં,જયારે એ બીમારી મટી જાય,કિંવા પુરા નમાઝના ટાઈમમાં એકવાર પણ રોગ દેખાય નહી ત્યારે માઅઝૂર રહેશે નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામી : ૧/પ૦૪)
Log in or Register to save this content for later.