Chapter : મઅઝૂરના અહકામ
(Page : 129)
સવાલ(૮૧–૧૩) એક ભાઈને ઈસ્તિન્જો કરવા પછી લગભગ એક કલાક સુધી પથ્થરથી ઈસ્તિન્જો કરે તો પેશાબના કતરા પડે છે,તો તે ભાઈને નમાઝો પઢવા માટે શું કરવું જોઈએ ?
જવાબ(૮૧–૧૩) પેશાબના ટીંપાં પડવાની બીમારી એક નમાઝના પુરા સમયને ઘેરી લે કે જેમાં વુઝૂ કરી ફર્ઝ નમાઝ પઢવાનો સમય પણ તેને મળે નહિં,તો તે માણસ શરીઅતની રૂએ માઅઝૂર લેખાશે,શરૂઆતમાં માઅઝૂર ગણવા માટે ઉપરોકત શર્ત છે, પછી નમાઝના સમયે એકવાર પણ સદરહુ બીમારી જણાય ત્યાં સુધી માઅઝૂરના હુકમમાં છે,અલબત્ત નમાઝનો પુરો સમય બીમારી વિના પસાર થશે તો માઅઝૂર રહેશે નહીં,માઅઝૂરનો હુકમ આ છે કે નમાઝનો સમય શરૂ થાય પછી વુઝૂ કરી નમાઝ પઢતો રહે,ભલેને ટીપાં પડતાં રહે,ટીપાં પડવાથી વુઝૂ તુટશે નહિં,નમાઝનો સમય નીકળવાથી તૂટી જશે,બીજા વખતમાં ફરીથી વુઝૂ કરવું પડશે, ભલેને વુઝૂ હોય ! ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામી : ૧/પ૦૪ અને પ૦પ. હિદાયા : ૧/૬૭)
Log in or Register to save this content for later.