Chapter : મઅઝૂરના અહકામ
(Page : 128)
સવાલ(૮૦–૧ર) હું પેશાબ કરૂ છું ત્યાર પછી અર્ધા કલાક સુધી પેશાબના ટીપાં ચાલુ રહે છે,એ દર્મિયાન જે લેંગો પહેરેલો હોય તો તેના ઉપર ટીપાં પડયા કરે છે,તો એ લેંગો પહેરી નમાઝ પઢું તો નમાઝ થશે ? જયારે નમાઝનો ટાઈમ હોય છે ત્યારે પેશાબની હાજત થાય છે,અને પેશાબ કરીએ છીએ તો પરેશાની ઉભી થાય છે,તો એ વિષે શરીયતનો શું હુકમ છે ?
જવાબ(૮૦–૧ર) જે માણસને હંમેશા લગાતાર પેશાબના ટીપાં ટપકતાં હોય છે,શરીઅતની ભાષામાં મઅઝૂર લેખાશે,તેના માટે મજબૂરીને લઈ હુકમ બદલાય છે,તમો તેમાં દાખલ નથી,પેશાબની થેલી કમઝોર હોવાના કારણે ઘણાં લોકોને પેશાબ કર્યા પછી થોડીવાર ટીપાં નીકળે છે,એટલાં માટે પથ્થર વડે ઈસ્તિન્જો કરવાનો હુકમ આવ્યો છે, તમો નમાઝના ટાઈમ પહેલાં પેશાબની તૈયારી કરશો, કે વહેલા ફારિગ થઈ જમાત મેળવી શકાય, લેંગા પર ટીપાં પડયા હોય તો તેટલી જગ્યાને ધોઈ કાઢવામાં આવે, આખો લેંગો ધોવાની જરૂરત નથી,એથી ફારિગ થઈ જયારે વુઝૂ કરો તે સમયે પાણીના છાંટા લેંગા (ખિસ્તક) ઉપર છાંટવામાં આવે,એ હદીષના હુકમ અનુસાર લાભકારક છે, જો કોઈ સમયે વુઝૂ કર્યા પછી પેશાબનું ટીપું પડતાં માલુમ પડે તો વુઝૂ તુટી જશે, કપડાનો તેટલો ભાગ ધોઈ લઈ ફરીવાર વુઝૂ કરવામાં આવે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે (શામી : ૧/પ૦૪.)
Log in or Register to save this content for later.