Chapter : હૌઝ કૂવા
(Page : 140)
સવાલ(૧૦૬–૩૮) એક ઝમીનમાં બોરિંગ કરી,હેન્ડપંપ વડે પાણી કાઢી, ઘરવપરાશના ઉપયોગમાં લેવા ઈચ્છીએ છીએ,પરંતુ તે જગ્યાએથી ૭પ થી ૮૦ ફૂટ દૂર એક જાજરૂનો કૂવો છે,તો મજકૂર કૂવાના પાણીને વાપરવામાં શરીઅતની રૂએ કોઈ વાંધો આવશે કે કેમ ?
જવાબ(૧૦૬–૩૮) જાજરૂના કૂવા અને પાણીના કૂવા વચ્ચે અંતર રાખવા સંબધિત અમૂક કિતાબોમાં,ચોકકસ અંતર રાખવાનું વર્ણન આવેલ છે,પરંતુ માન્ય એ વાત છે કે પીવાના પાણીના કૂવા અને જાજરૂના કૂવામાં એટલું અંતર હોવું જોઈએ કે નાપાકીની અસર,પાણીના સ્વાદ તથા રંગમાં ના થાય,અને તે દુર્ગંધ ન થઈ જાય, મતલબ કે અમૂક જગ્યાએ ઝમીન નરમ હોવાના કારણે જાજરૂનો કૂવો દૂર હોવા છતાં પણ અસર કરે છે, જયારે અમૂક જગ્યાની ઝમીન કઠણ હોવાના કારણે જાજરૂનો કૂવો પાણીના કૂવાની પાસે હોવા છતાં,અસર થતી નથી.આપે બન્ને કૂવા વચ્ચે જે ફૂટનું અંતર દર્શાવ્યું છે,એટલા અંતરે તો અસર થશે નહિં,તે છતાં કૂવા ખોદવાના સમયે ચકાસણી કરી લેશો. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ૧/૩૪૧.ઈમ્દાદુલ ફતાવાઃ૧/૩ર)
Log in or Register to save this content for later.