નિફાસ બંધ થવા પછી ૪૦–દિવસ સુધી નમાઝ ન પઢવી.

Chapter : હૈઝ નિફાસ

(Page : 139)

સવાલ(૧૦૪–૩૬) હમારે ત્યાં એવો રિવાજ છે કે ચાલિસ દિવસ સુધી ઓરત નમાઝ પઢતી નથી,પછી ગમે તેટલી નમાઝની પાબંદ હોય,ચિલ્લુ પુરૂ થયા પછી ગુસલ કરી નમાઝ પઢે છે,રપ અથવા ૩૦ દિવસે નિફાસ બંધ થઈ જાય છતાં પણ ઓરત ૪૦ દિવસ સુધી પોતાને નાપાક સમજે છે,અને નમાઝ પઢતી નથી,તો એ વિષે શું હુકમ છે ?

જવાબ(૧૦૪–૩૬) ઓરતનો એ દસ્તૂર અને મંતવ્ય શરીઅત વિરૂધ્ધ અને ખોટો છે,નિફાસ (સુવાવડનુ ખૂન) આવે ત્યાં સુધી નમાઝ માફ છે.નિફાસ બંધ થયા પછી ભલેને ૪૦ દિવસ અંદર બંધ થયુ હોય ! પાકીનું ગુસલ કરી નમાઝ પઢવી પડશે,૪૦ દિવસ નિફાસની વધુમાં વધુ મુદ્દત બતાવી છે,જેમકે હૈઝ વધુમાં વધુ ૧૦ દિવસ છે,એનો મતલબ એવો સમજવો કે ૪૦ દિવસ પહેલાં ઓરત પાક થઈ શકતી નથી,ખોટો છે,૪૦ દિવસ સુધી નિફાસનો સંભવ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (હિદાયાઃ ૧/૭૦)

Log in or Register to save this content for later.