નિફાસની મુદ્દત કેટલી છે ?

Chapter : હૈઝ નિફાસ

(Page : 136)

સવાલ(૯૯–૩૧) બાળકના જન્મ પછી સ્ત્રીની જે નાપાકીની હાલત હોય છે, એની મુદ્દત ચાલીસ દિવસની ગણવામાં આવે છે,અમૂક લોકો (નિફાસ વાળી સ્ત્રીના) ઘરો નું ખાણું ૪૦ દિવસ સુધી ખાતા નથી,એ કેવું છે? બાળકના જન્મ પછી જે નિફાસ (લોહી) આવે છે, જેા એ નિફાસ ચાર–પાંચ દિવસમાં બંધ થઈ જાય તો એ સ્ત્રી ગુસલ કરી નમાઝ પઢી શકે તો ચાલે કે નહિં ? એવી હાલતમાં સંભોગ કરી શકાય ?

જવાબ(૯૯–૩૧) નિફાસની વધુમાં વધુ મુદ્દત ચાલીસ દિવસ છે,એનો ભાવાર્થ એમ સમજવો કે ” ચાલીસ દિવસ સુધી સ્ત્રી નાપાક લેખાશે તે પહેલાં પાક થઈ શકતી નથી,ભલે ને તે મુદ્દત પહેલાં નિફાસનું ખૂન બંધ થઈ ગયુ હોય”  ખોટું છે. જયારે ખૂન બંધ થઈ જાય પાકીનું ગુસલ કરવાથી પાક થઈ જશે,ભલે ને એક બે દિવસમાં બંધ થઈ જાય,પાક થયા બાદ નમાઝ પઢી શકે છે,તેણી સાથે સંભોગ કરવામાં એની નિફાસની ટેવ મુજબ રાહ જોવી જોઈએ,ઉતાવળ કરે નહીં,નિફાસ વાળી સ્ત્રીનું રાંધેલુ ખાણું પાક અને હલાલ છે,ખાવામાં કાંઈ વાંધો નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (આલમગીરી :૧/૩૭)

Log in or Register to save this content for later.