નિફાસના દિવસોમાં રોઝા–નમાઝ.

Chapter : હૈઝ નિફાસ

(Page : 137)

સવાલ(૧૦૦–૩ર) સુવાવડ પછી સ્ત્રી કેટલા દિવસ નાપાક ગણાય છે? અને એ  દર્મિયાન તેણી,દીન અને દુન્યવી કયા કયા કામ કરી શકે છે ? અને કયા કયા કામ ન કરી શકે ? શું સુવાવડ પછી સ્ત્રી ચાલીસ દિવસ નાપાક ગણાય છે એ ખરૂ છે ?

જવાબ(૧૦૦–૩ર) સુવાવડ પછી નિફાસ (સુવાવડનું ખૂન) આવતાં સુધી તેણી નાપાક ગણાય છે,નિફાસ બંધ થયા પછી પાકીનું ગુસલ કર્યા પછી તેણી પાક ગણાશે, ભલેને એક બે દિવસમાં જ બંધ થઈ જાય,દરેક સુવાવડવાળી સ્ત્રીને ચાલીસ દિવસ સુધી નાપાક માનવી એ ખોટી માન્યતા છે,અલબત્ત હનફી સરણીમાં નિફાસની વધુમાં વધુ મુદ્દત ચાલીસ દિવસ છે,એટલે એનાથી વધુ ખૂન આવે તો નિફાસ કહેવાશે નહિં,બલ્કે ઈસ્તિહાઝહ (બીમારીનું ખૂન) લેખાશે. નિફાસના દિવસોમાં નમાઝ માફ છે એટલે કઝા પણ નથી,રોઝા મના છે,પાછળથી કઝા કરવા પડશે,સંભોગ હરામ, તિલાવત –કુર્આન શરીફ પઢવું હરામ છે,તસ્બીહ દુરૂદ શરીફ પઢી શકાય છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ૧/૪૮૪ તથા ૪૮પ)

Log in or Register to save this content for later.