Chapter : પાકી નાપાકીના પરચુરણ મસ્અલા
(Page : 143)
સવાલ(૧૧૪–૪૬) હનફી મઝહબ પ્રમાણે જોવા જઈએ તો પાણી પાક રહેવું અશકય છે,કારણ કે દરેક ઘરોમાં કપડાં ધુએ છે,જે દેહ દર દેહ હોઝ પર ધોવામાં આવતાં નથી,બલ્કે વાંસણો અને ડોલમાંથી પાણી લઈ ધોવામાં આવે છે. ડોલમાંથી પાણી લેવા માટે નાપાક કપડાંવાળા લીલા હાથ ડોલમાં નાંખવા પડે છે,અને કપડા ધોતાં ધોતાં નાપાક છાંટા શરીર ઉપર પણ ઉડે છે,તો નાપાકીથી બચવા માટે શું કરવું જોઈએ ?
જવાબ(૧૧૪–૪૬) કાળજી રાખવા છતાં નાપાક કપડાં ધોવાના સમયે છાંટા શરીર ઉપર અથવા પાણીમાં પડવાથી નાપાક લેખાશે નહિં,પવિત્ર શરીઅતમાં સરળતા છે.વાસ્તવિકપણે નાપાકી પડવાથી જ પાણી નાપાક થશે, નાપાકી ધોવાથી હાથ નાપાક થયો હોય તો ધોયા વિના પાણીના વાસણમાં નાંખવો નહી જોઈએ,નાના વાંસણ વડે પાણી લઈ,પ્રથમ હાથ ધોવા જોઈએ, પછી પાણીના વાસણમાં નાંખવામાં વાંધો નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ૧/પ૩ર)
Log in or Register to save this content for later.