Chapter : વુઝૂ
(Page : 126)
સવાલ(૭૪–૬) નાકમાંથી રીંટ નીકળે,જે પાણી જેવું અને રંગે પીપ જેવું આપોઆપ પડે તો નમાઝીનું વુઝૂ તુટી રહેશે કે કેમ ? તથા તે રીંટ જે જગ્યા પર પડે અથવા કપડાં પર પડે તો તે જગ્યા અથવા કપડું નાપાક થશે ? નમાઝ તુટી ગઈ કે કેમ ?
જવાબ(૭૪–૬) સર્વ પ્રકારની રીંટ થી વુઝૂ તુટતુ નથી,રીંટ પાક છે,ભલેને સળેખમ થી નીકળે,ધોયા વિના નમાઝ દુરૂસ્ત લેખાશે,ભલે તે વધુ પ્રમાણમાં હોય,પરંતુ એમાં દુર્ગધ હોવાથી ધોવું બેહતર છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/ર૬૭)
Log in or Register to save this content for later.