દુરૂદે લખી, દુરૂદે તાજ અને ગંજુલ અર્શ પઢવા વિષે.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 113)

સવાલ(૪૭–૪૭) દુરૂદે લખી પઢવું કેવુ છે ? એને પઢવાનું હદીષ અથવા કિતાબોથી સાબિત છે શું ? અને દુરૂદે તાજ પઢવું કેવું છે ? એના અંદર જે શબ્દો છે”દાફેઈલ બલાએ વલ વબાએ વલ કહતે વલ મર્ઝે વલ અલમ”  જેમાં હુઝુર (સલ.) ને બલા,વબા દુર કરનાર,રોગ અને દુઃખ દૂર કરનાર ઠેરવ્યા છે,એ શબ્દોને છોડી, દુરૂદે તાજ પઢી શકાય કે નહિં ? અને કયા પ્રકારનું દુરૂદ હદીષ શરીફથી સાબિત છે ? તે જણાવશો. દુઆએ ગંજુલ અર્શ પઢવું કેવું છે ?

જવાબ(૪૭–૪૭) દુરૂદે લખી તથા દુરૂદે તાજમાં દર્શાવેલ વાકય (દાફેઈલ બલાએ વલ વબાએ વલ કહતે વલ મર્ઝે વલ અલમ) છોડીને પઢવું જાઈઝ છે, પરંતુ તેની ફઝીલતની સનદ ખરી નથી,ફઝીલતની માન્યતા રાખે નહીં,એના કરતાં સહીહ હદીષોમાં જે દુરૂદ શરીફ વર્ણન થયેલ છે,તે અફઝલ છે,સૌથી શ્રેષ્ઠ દુરૂદ શરીફ દુરૂદે ઈબ્રાહીમી છે. (જે નમાઝમાં પઢાય છે.) ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.     (કિફાયતુલ મુફતીઃ ર/૭૭)

Log in or Register to save this content for later.