દાઢીના બાલ પર ફરિશ્તાનું દુરૂદ પઢવું.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 119)

સવાલ(પ૮–પ૮) દાઢી રાખવાના ફાયદા શું છે ? આજ કાલ ઘણાં લોકો કહે છે કે દાઢીના એક એક વાળ ઉપર ફરિશ્તા દુરૂદ શરીફ પઢે છે, શું આ ખરી વાત છે ?

જવાબ(પ૮–પ૮)દાઢીની ફઝીલતમાં દર્શાવેલ લોકોનું કથન,દાઢીના દરેક વાળ ઉપર ફરિશ્તાઓ દુરૂદ શરીફ પઢે છે,પાયા વિનાનું,બેદલીલ અને મનઘડત છે, માટે એવી માન્યતા રાખવી નહિં,અલબત્ત દાઢીના અનેક ફાયદાઓ છે,દાઢી નબીયોની સુન્‍નત છે,ઈસ્લામનો શિઆર–પ્રતિક છે,જેથી દાઢી વાજિબ છે,મુડાવવી કે એક મુઠથી ઓછી કપાવવી મના છે,જેથી એવા માણસ ફાસિક લેખાશે, તેમની શહાદત કબૂલ નથી,તેની ઈમામત મકરૂહ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/ર૯૮)

Log in or Register to save this content for later.