તબ્લીગી જમાઅતનો વિરોધ કરનાર.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 119)

સવાલ(પ૯–પ૯) તબ્લીગી જમાઅતનું જે દીની કામ આજે ચાલી રહયું છે તો તેમાં દખલ કરનાર,દુશ્મની કરનાર અને એ બરકતી કામને અટકાવનાર અને એને અટકાવવા માટે પ્રચાર કરનાર મુસલમાન શરીઅતની રૂએ કેવા છે ?

જવાબ(પ૯–પ૯) તબ્લીગી કાર્ય અતિ ઉત્તમ સવાબનું કાર્ય છે,અલ્લાહ તઆલાએ જેને ફુરસત અને ફરાગત અર્પણ કરી હોય તે તબ્લીગી કાર્યને ગનીમત સમજી,પોતાની દુનિયા અને આખિરત સુધારવા જરૂર કરે,કુર્આન શરીફમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે અલ્લાહના માર્ગમાં તેના હક અનુસાર ખુબ જ કોશીષ કરો; (સૂરએ હજઃ ૭૮)

                બીજી જગ્યાએ છે કે જે લોકો અમારા માર્ગમાં મેહનત–કોશીશ કરે છે,હમો તેમને અમારા માર્ગો દેખાડી આપીએ છીએ ;    (સૂરએ અનકબૂત,૬૯)

                હદીષ શરીફમાં છે કે મારા હુકમની તબ્લીગ કરો,ભલેને એક જ શબ્દ હોય ! (બુખારી શરીફઃ૧/૧૪૧,મિશ્કાત શરીફઃ પેજ–૩ર)

                દરેક માણસ પોતાની શકિત મુજબ,જેટલી બની શકે ઈસ્લામની સેવા કરે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.