Chapter : તયમ્મુમ
(Page : 132)
સવાલ(૮૭–૧૯) હું ટી.બી. નો રોગી છું,જેથી સરદીમાં પાણીથી વુઝૂ કરતાં તકલીફ થાય છે,જેથી વુઝૂના બદલે તયમ્મુમ કરૂં તો કંઈ વાધો છે ?અને તયમ્મુમ માટે રેતી કે ખેતરની માટી એક તગારા કે ટોપલામાં ભરી રાખું,અને તેમાં હંમેશા તયમ્મુમ કરે તો કંઈ વાંધો છે કે કેમ? દરેક સમયે નવી માટી કે રેતી લેવી પડે ? અગર તો ટોપલા કે તગારાની રેતી કેટલા દિવસે બદલવી જેાઈએ ? અને તયમ્મુમનો સહીહ તરીકો શું છે ?
જવાબ(૮૭–૧૯) મામુલી સર્દીના કારણે વુઝૂની જગ્યાએ તયમ્મુમ કરવું દુરૂસ્ત નથી,તદ્દન નુકશાન કરતું હોય અને ગરમ પાણી પણ થઈ શકતું કે મળી શકતું ન હોય તો એવી લાચારીની હાલતમાં વુઝૂની જગ્યાએ તયમ્મુમ કરવું દુરૂસ્ત છે,જો તમને બીમારીના કારણે ઠંડા પાણીથી વુઝૂ કરવાથી બીમારી વધી જવાનો કે જાનનો ભય હોય તો તયમ્મુમ કરી નમાઝ પઢશો, જો એવા બીમાર હોય કે ભરોષાપાત્ર મુસ્લિમ ડોકટર કે હકીમે ઠંડા,ગરમ પાણી વાપરવાની મનાઈ કરી હોય તો એવી હાલતમાં તયમ્મુમ કરે, કોઈ પણ માટી અથવા રેત,પથ્થર,ચુનો વિગેરે ઉપર કે જે વસ્તુ માટીના પ્રકારમાંથી હોય તેનાથી તયમ્મુમ કરવું જાઈઝ છે.કોઈ પણ ટોપલા કે વાસણમાં પાક માટી કે રેત ભરી રાખો,વખતો વખત તેનાથી તયમ્મુમ કરી શકાય છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (હિદાયાઃ ૧/૪૯. શામીઃ ૧/૩૯૭ અને ૧/૪૦૪)
Log in or Register to save this content for later.