જે જિન્નાતે હુઝૂર (સલ.) ને જોયા હોય.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 114)

સવાલ(૪૯–૪૯) રસૂલુલ્લાહ (સલ.)ને અગર કોઈ જિન્નાતે રસૂલુલ્લાહ (સ.અ.વ.)ની હયાતીમાં જોયા હોય તો તે જિન્નાત સહાબામાં શુમાર થાય કે નહિ ? અગર જિન્નાત સહાબામાં શુમાર થાય અને તે જિન્નાનતે કોઈ માણસે જોયો તો તે માણસ તાબેઈ કહેવાય કે નહિ?

જવાબ(૪૯–૪૯) સદર જિન્‍ન મો’મિન હોય તો સહાબી લેખાશે,ઈમાન વિના કુફ્રમાં જોનાર સહાબી થઈ શકતો નથી,અને જિન્નાતનું ઈમાન યકીનથી માલૂમ ન હોવાથી તેને જોનારને તાબેઈ યકીન સાથે કહી શકાય નહિં,એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(મિશકાત શરીફઃ પેજ–૩૯૪)

Log in or Register to save this content for later.