ગુલાબ તથા કેવડાના પાણીથી વઝૂ કરવું.

Chapter : વુઝૂ

(Page : 124)

સવાલ(૬૯ –૧) બેહિશ્તી સમર,ભાગ પહેલો,પાક પાણી જેનાથી નાપાક વસ્તુઓ પાક કરવામાં આવે,વિગેરેના બયાનમાં લખ્યું છે કે ગુલાબનું પાણી,સરકો, અર્કે ગાવઝબાંનથી નાપાક વસ્તુઓ પાક કરવામાં આવે તો પાક થઈ જશે,અને તે અગાઉ,વુઝૂ–ગુસલ કરે તે પાણીના બયાનમાં લખ્યું છે કે ” ગુલાબનું પાણી,સરકા વિગેરેથી વુઝૂ કરે તો વુઝૂ થશે નહિં. તો સવાલ એ છે કે બંન્નેમાં ફરક કયા કારણે છે ? વુઝૂ કેમ નહિ થાય ? અને નાપાક કપડાં વિગેરે કેમ પાક થઈ જશે ? બીજું એ કે અર્કે ગાજઝબાંન શું વસ્તુ  છે ?

જવાબ(૬૯–૧) ગુલાબ,કેવડાનું પાણી,અર્કે ગાવઝબાંન પોતે પાક છે, બીજાને પાક કર્તા નથી,જેનાથી હુકમી નાપાકી કિંવા વુઝૂ–ગુસલ દૂર થશે નહિં,એનાથી જાહેરી નાપાકી (પેશાબ–પાખાનું,લોહી વિગેરે) ધોવાથી નાપાકી દૂર થશે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (આલમગીરીઃ ૧/ર૧   હિદાયાઃ ૧/૩૪)

Log in or Register to save this content for later.