કેન્સરના કારણે પાકી–નાપાકીનો ખ્યાલ ન રહે.

Chapter : મઅઝૂરના અહકામ

(Page : 128)

સવાલ(૭૯–૧૧) એક માણસને કેન્સરનો રોગ છે,પથારીવશ છે, હરવુ–ફરવું મુશકેલ છે,જેના કારણે પથારીમાં ઝાડા–પેશાબ થઈ જાય છે, અને પાકી નાપાકીનો ખ્યાલ રહેતો નથી,તો મજકૂર માણસે નમાઝ કેવી રીતે પઢવી ?

જવાબ(૭૯–૧૧) સદરહુ માણસ નમાઝ માટે પાક કપડાં અલગ રાખી છોડે, અને નમાઝના સમયે નાપાક કપડાં ઉતારી લઈ,શરીર ઉપર લાગેલી નાપાકી સાફ કરી લે અને વુઝૂ કરી પાક કપડાં પહેરી નમાઝ પઢે,નાપાકી સાથે નમાઝ અદા થશે નહીં,બદન તથા કપડાંની પાકી નમાઝ માટે શર્ત છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (હિદાયાઃ૧/૯ર)

Log in or Register to save this content for later.