ઓઈલપેન્ટ ના ડાઘા હોય તો વુઝૂ થશે કે કેમ ?

Chapter : વુઝૂ

(Page : 126)

સવાલ(૭૬–૮) રંગના નાના મોટા ટીંપા મોઢા અથવા હાથ,પગ ઉપર લાગેલા હોય,એવી હાલતમાં વુઝૂ કરી નમાઝ પઢવાથી નમાઝ થશે કે નહિ ? અને વુઝૂ કરી નમાઝ પઢી લીધી પછી ટીંપુ નઝર આવ્યુ તો નમાઝ થઈ જશે કે ફરી પઢવી પડશે ?

જવાબ(૭૬–૮) રંગના કારણે તે જગ્યાએ પાણી ન પહોંચવાથી વુઝૂ દુરૂસ્ત લેખાશે નહિ,એક નખ અથવા બાલ બરાબર સુકુ રહેવાથી વુઝૂ દુરૂસ્ત નથી,જેથી નમાઝ લોટાવવી પડશે,વુઝૂના અવયવો (મોંઢુ,બન્‍ને હાથ અને બન્‍ને પગ,ઢેકિયો સુધી) ના ઉપર લાગેલો રંગ દૂર કરવો જરૂરી છે,કે જેથી પાણી પહોંચી શકે,તે સિવાય શરીર ઉપર લાગેલો રંગ જો પાક હોય તો ધોવાની જરૂરત નથી,અને જો રંગ નાપાક હોય તો ધોવું પડશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શર્હેવિકાયાઃ૧/પ૧   હિદાયાઃ ૧/૧૬)

Log in or Register to save this content for later.