ઓઈલપેન્ટ ના ડાઘા હોય તો વુઝૂ થશે કે કેમ ?

Chapter : વુઝૂ

(Page : 126)

સવાલ(૭પ–૭) રશીદનો ધંધો રંગકામ કરવાનો–ઓઈલપેન્ટ નો છે,જે કલરકામ કરવામાં ઓઈલપેન્ટના રાય રાય જેટલા ડાઘા ચહેરા પર તથા હાથ પર તથા વુઝૂના અવયવો પર લાગે છે,જે મોટા ડાઘને સાફ કરી નાંખે છે,પરંતુ બ્રાશ થી કલર કરવામાં નાના નાના ડાઘ વુઝૂના અવયવો પર રહી જાય છે,તો વુઝૂમાં જે ભાગ ધોવો ફર્ઝ છે,જેમાં એક વાળ બરાબર જગ્યા કોરી રહી જાય છે,તો વુઝૂ થતુ નથી,તો પછી રશીદને એવા નાના નાના કલરના ડાઘ રહી જાય છે,જે તે હાલતમાં વુઝૂ કરે તો વુઝૂ થશે કે કેમ ? અને આવા નાના ડાઘ કાઢવા બેસે તો ઘણો સમય પસાર થઈ જાય છે,તો એ માટે શું હુકમ છે ?

જવાબ(૭પ–૭) કલરના ડાઘ જે નીકળતા ન હોય અથવા કાઢવા અઘરા હોય તેના ઉપર પાણી વહાવી દેવાથી વુઝૂ–ગુસલ દુરૂસ્ત લેખાશે,શરીઅતમાં સખ્તાય નથી,આસાની છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (ઈમદાદુલ ફતાવાઃ ૧/૧૦૧)

Log in or Register to save this content for later.