Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 109)
સવાલ(૩૮–૩૮)હુઝૂર (સ.અ.વ.)ને ઈલ્મે ગૈબ(ગૈબની વાતોની જાણ) હતો?
જવાબ(૩૮–૩૮) અલ્લાહ તઆલાએ જેટલી ગૈબની વાતો આપ (સ.અ.વ.) ને જણાવી હતી,તેટલી જાણતા હતા. ઈલ્મે ગૈબ આપનો જાતિ ગુણ ન હતો,ગૈબની જે વાત જાણવા માંગે એ જાણી લે–જાણી શકે,એ તો ખાસ અલ્લાહ તઆલાની સિફત છે.જેમકે કુર્આન શરીફમાં છે કે,‘‘લા અ’લમુલ ગયબ અર્થાત હું ગૈબ નથી જાણતો. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શર્હે અકાઈદઃ ૧૭૦)
Log in or Register to save this content for later.