ઈલ્મે ગૈબ અંગે.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 109)

સવાલ(૩૭–૩૭) કોઈને ગૈબની હકીકત પૂછવી અને તેના પર વિશ્વાસ કરવો શરીઅતની રૂએ કેવું છે ?

જવાબ(૩૭–૩૭) એહલે સુન્‍નત વલ જમાઅતનો ઈજમાઅ (સર્વસંમતિ) છે કે, અલ્લાહ તઆલા સિવાય બીજું કોઈ ગૈબની વાત જાણતું નથી,ઈલ્મે ગૈબ ખાસ ખુદા તઆલાની સિફત છે,જેથી અલ્લાહ તઆલા સિવાય બીજામાં એ સિફત હોવાની  માન્યતા રાખવી શિર્ક છે,જેનાથી હંમેશાના અઝાબનો પાત્ર ઠરશે. એની મગફિરત થશે નહિં.(ખુદાની પનાહ!) કોઈને પણ પછી તે જયોતિષ (નજૂમી) હોય કે ભવિષ્યવેત્તા ! ગૈબની બિના પૂછવી નહિં,એવી વાતો પૂછવી–કોઈ ખોવાયેલી વસ્તુ માલૂમ કરવી હરામ છે,અને એવી વાતો પર યકીન કરવું કુફ્ર છે,હદીષ શરીફમાં છે કે,એક નવમુસ્લિમ સહાબી (રદિ.) એ હુઝૂર (સ.અ.વ.) ને કાહિન (જયોતિષ) પાસે જવા અંગે પૂછયું તો આપે (સલ.) મના ફરમાવ્યું અને તેમની વાતો પર યકીન કરવું કુફ્ર છે.(મિશકાત શરીફઃ ૩૯૩.  શર્હે અકાઈદઃ ૧૬૯)

Log in or Register to save this content for later.