આયતુલ કુર્સીની ફઝીલત.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 111)

સવાલ(૪ર–૪ર) આયતુલ કુર્સીના ફઝાઈલ શું છે ? આ’માલે કુર્આનીમાં લખ્યું છે,જે કોઈ ૩૧૩ વાર પઢશે તો એની હાજતો પુરી થશે,તો શું આયતુલ કુર્સી,અઝીમ સુધી છે કે ખાલિદૂન સુધી ? હમારે કયાં સુધી પઢવી એનો ખુલાસો જણાવશો.

જવાબ(૪ર–૪ર)                કુર્આન શરીફની સઘળી આયતોમાં આયતુલ કુર્સી શ્રેષ્ઠ છે, એની ઘણી ફઝીલતો હદીષોમાં વર્ણન થયેલ છે,સુતી વખતે પઢવાથી ફરિશ્તા સવાર સુધી રક્ષા કરે છે,શયતાન તેની નજીક નથી આવી શકતો, મખ્લુકની બુરાઈથી સુરક્ષિત રહે છે,તમે લખેલ ફાયદો પણ ખરો છે,અઝીમ સુધી પઢે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(મિશકાત શરીફઃ ૧૮પ તથા ૧૮૯. મઝાહિરે હકઃ ૩/૧૮)

Log in or Register to save this content for later.