Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 112)
સવાલ(૪૬–૪૬) દરગાહ શરીફના વસીલાથી દુઆ માંગવી અને મન્નત માનવું જાઈઝ છે કે કેમ ?
જવાબ(૪૬–૪૬) અવલિયાએ કિરામના વસીલાથી ખુદા પાસે દુઆ માંગવી જાઈઝ છે,પરંતુ એવી માન્યતાઓ રાખે નહિં કે વસીલાથી ખુદા પાક મજબૂર થઈ જશે,ખુદાપાક કોઈથી દબાયલો નથી,પોતાની ઈચ્છા મુજબ કરશે,તેમજ મન્નત, કેવળ અલ્લાહની જ માનવામાં આવે,અને મન્નતથી તેને મજબૂર જાણે નહિં,કે મન્નતના લઈને મારી મરજી મુજબ કરશે,તેના સિવાય બીજાની મન્નત માનવું હરામ અને તે ખાવું પણ હરામ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(ફતાવા દારૂલ ઉલૂમઃ ૧/૧૦૭,ઈમદાદુલ ફતાવાઃ ૬/૩ર૭)
Log in or Register to save this content for later.