અલ્લાહના સાચા વલીની ઓળખ.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 116)

સવાલ(પપ–પપ) બરોડા વાળા પીરનો પોગ્રામ હતો,જેમાં શૈખ રિફાઈનો પોગ્રામ હતો,જેમાં દફ,ખંજરી વગાડી નઅત પઢવામાં આવતી,અને બીજા માણસો તલવાર,ગુપ્તી કે બીજી લોઢાની વસ્તુ વડે પોતાને ઘાયલ કરતાં શરીરમાંથી ખૂન નીકળે છે,અને કોઈ માણસ તલવારથી પણ પોતાને કાપે છે,પછી એ માણસ ઉપર બરોડા વાળા પીર ફુંક મારે છે,અને ફુંક મારેલુ પાણી પીવડાવે છે,જેથી માણસ પાછો સારો થઈ જાય છે,અને ખૂન નીકળતુ બંધ થઈ જાય છે,એ પોગ્રામ જોવા મુસ્લિમો અને ગેરમુસ્લિમોના ટોળાં આવે છે,આ પીર સાહેબ મસ્જીદમાં જમાઅત સાથે નમાઝ પઢવા આવતા નથી,શું આવી બાબતોને કરામત કહી શકાય ? આ પીર સા.ને આવી બાબતોના લઈ ઔલિયા માની શકાય ? આવા પોગ્રામમાં શરીક થવું કેવું છે ?

જવાબ(પપ–પપ) ઔલિયા અલ્લાહની કરામતો બરહક–ખરી સનદથી સાબિત હોય,માનવી જાઈએ,જેમકે સહાબા (રદિ.)અને તાબેઈન (રહ.)અને ઔલિયા (રહ.)ની કરામતો અનેક સીરત ની કિતાબોમાં વર્ણાયેલ છે,તેનો કોઈ નકાર કરતું નથી,પરંતુ સદરહુ પીરની દર્શાવેલ કરામતો બનાવટ (ઢોંગ) લાગે છે, જેમકે જાદૂગર,મદારી પણ એવા ચમત્કાર બતાવે છે, નેક સુન્‍નતના તાબેદારથી જાહેર થાય તો તેને કરામત કહેવામાં આવશે,અને તેને અલ્લાહના વલી માનવામાં આવશે,નહિંતર ઈસ્તિદરાજ લેખાશે,ભલેને હવામાં ઉડતો હોય ! પાણી ઉપર ચાલતો હોય ! તેને વલી માનવો નહીં, દજજાલ મર્દૂદ ખુદાઈનો દા’વો કરશે, તે એવા ચમત્કારો બતાવશે કે લોકો દિગમુગ્ધ થઈ જશે,સારાંશ કે ફાસિકથી ચમત્કારો દેખાય તો કરામત નથી,ઈસ્તિદરાજ છે,તેને અલ્લાહનો વલી માનવો નહીં,એવા બદદીનની મજલિસમાં જવું ન જાઈએ,ગુમરાહીનો ભય છે.(શર્હે ફિકહે અકબરઃ૧૩૦થી૧૩૪   ઈમદાદુલ ફતાવાઃ૪/૪૬ર)

                અલ્લાહના વલી તો પરહેઝગાર હોય છે,અલ્લાહના રસૂલની સુન્‍નતોના તાબેદાર હોય છે,ફાસિક–ફાજિર વલી હોતા નથી,આવા ઢોંગ કરનારને વલી માનવો નહિં,ઈમાન બગડવાનો ભય છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(શર્હે અકાઈદઃ પેજ–૧૪૪)

Log in or Register to save this content for later.