[૩૯૩] રમઝાનના રોઝાની નિય્યતનો આખરી સમય

Chapter : રોઝહ

(Page : 454-455)

સવાલ :–  રમઝાન મહિનો શિયાળામાં આવે છે અને મગરિબની અઝાન છ વાગ્યે થાય છે, હું સહરી પેટ ભરીને જમી લઉં, અને રોઝાની નિય્યત ઝોહરની નમાઝ પછી કરું તો ચાલે કે નહિ ? એટલે કે બપોરે બે વાગ્યા પછી નિય્યત કરી આરામ કરું તો રોઝો સહીહ ગણાશે. યાદ રહે  કે ઈફતારીનો સમય છ વાગ્યાનો  છે.

જવાબ :– સુબ્હે સાદિકના સમયથી ગુરૂબે આફતાબ સુધી જેટલા કલાકોનો સમય થતો હોય તે સમયમાંથી અડધો સમય પૂરો થતા પહેલાં પહેલાં રમઝાન મુબારકના રોઝાની નિય્યત કરી લેવી ઝરૂરી છે. માટે જો સુબ્હે સાદિક પેહલાં રોઝા રાખવાની નિય્યત વગર સહરી કરવામાં આવે અને ઝોહર પછી રોઝાની નિય્યત કરવામાં આવે તો રોઝો દુરસ્ત અને જાઈઝ નહિ ગણાય. દા.ત. સુબ્હે સાદિકથી ગુરૂબે આફતાબ સુધી ૧૩ કલાક થતાં હોય તો પ્રથમ સાડા છ કલાક પૂરા થતાં પહેલાં રોઝાની નિય્યત કરી લેવી ઝરૂરી અને લાઝિમ છે. જો સુબ્હે સાદિક પછી દિવસના સાડા છ કલાક પૂરા થયા પછી રોઝાની નિય્યત કરવામાં આવશે તો રોઝો દુરૂસ્ત અને જાઈઝ નહિ ગણાય.             (શામી ભા.ર)

Log in or Register to save this content for later.