Chapter : રોઝહ
(Page : 443)
સવાલ :– શું શબે બરાતનો રોઝો હદીષે કવી અથવા તો હદીષે ઝઈફથી સાબિત છે કે નહિ ? અને શબે બરાતનો રોઝો શબે બરાતની નિય્યતથી રાખવો સાબિત છે કે નહિ ?
જવાબ :– સુનને ઈબ્ને માજહમાં પંદરમી શઅબાનનો રોઝો રાખવા વિશે હદીષ મવજૂદ છે. હઝરત અલી (રદિ.)થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે જયારે અડધા શઅબાન મહિનાની રાત (શબે બરાત) આવે તો તે રાતે નમાઝ પઢો અને તે દિવસે રોઝો રાખો. કારણ કે અલ્લાહ તઆલા આ રાતે આફતાબ ગુરૂબ થતા જ આસમાને દુન્યા પર નુઝૂલ ફરમાવે છે અને દુન્યાવાળાઓથી એલાન ફરમાવે છે કે ”છે કોઈ મગફિરતનો તલબગાર કે હું તેની મગફિરત કરી આપું, છે કોઈ રોઝીનો તલબગાર કે હું તેને રોઝી આપું, છે કોઈ મુસીબતમાં સપડાયેલો કે હું તેને આફિયત અતા કરું, છે કોઈ આવો, કે તેવો !” આવું એલાન સુબ્હે સાદિક થતાં સુધી બાકી રહે છે. (ઈબ્ને માજહ ૧૦૦) આ હદીષ બય્હકી, રૂહુલ મઆની ભાગઃપ અને દુર્રે મન્સૂર ભાગઃ૬ માં પણ છે.)
Log in or Register to save this content for later.