[૩૭૯] મુઅતકિફે કપડાં બદલવા અને અત્તર વાપરવું

Chapter : રોઝહ

(Page : 441-442)

સવાલ :– મુઅતકિફ એઅ્‌તિકાફની હાલતમાં કપડાં બદલી શકે કે નહિ? અને અત્તર લગાડી શકે કે નહિ? અહિંયાં ઘણા લોકો એવું સમજે છે કે હજ–ઉમરહના મુહરિમની જેમ મુઅતકિફ પણ કપડા નથી બદલી શકતો અને પોતાના શરીર અને કપડાં ઉપર અત્તર નથી લગાડી શકતો, તો શું આવું સમજવું સહીહ છે? અને મુઅતકિફે પણ મુહરિમની જેમ ઝીનત અને ખુશ્બૂ વગેરેનો ત્યાગ કરવો જોઈએ ?

જવાબઃ– પ્રથમ એ મસ્અલહ સમજી લેવો જોઈએ કે મુહરિમ સીવેલાં કપડાં નથી પહેરી શકતો, પરંતુ તે એહરામની હાલતમાં એહરામની ચાદરો તો બદલી શકે છે અને મુઅતકિફ સીવેલાં કપડાં પહેરી શકે છે અને તે બદલી પણ શકે છે. મુઅતકિફ માટે મુહરિમ જેવી એહરામની હાલતની પાબંદીઓ માનવી દુરસ્ત નથી. મુઅતકિફ ખુશ્બૂ અને અત્તર  પોતાના શરીર અને કપડાં ઉપર લગાડી શકે છે અને ખુશ્બૂદાર વસ્તુઓનો ખાવા–પીવામાં ઉપયોગ પણ કરી શકે છે અને તે પોતાના માથાના વાળ પણ કાંસકીથી ઠીક કરી શકે છે.

                હઝરત આઈશહ (રદિ.) એ ફરમાવ્યું કે હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મસ્જિદમાં મુઅતકિફ હોવાની હાલતમાં પોતાનું માથું મારી તરફ ઝુકાવતા હતા અને હું હૈઝની હાલતમાં આપના માથામાં કાંસકી કરતી હતી.        (બુખારી ભા૧/ર૭૧)

                માટે ફુકહાએ કિરામ પણ લખે છે કે મુઅતકિફ માટે (સીવેલા) કપડા પહેરવાં, સૂઈ જવું, ખાવું, પીવું ,તેલ લગાડવું અને ખુશ્બૂ,અત્તર લગાડવું જાઈઝ છે, કારણ કે હઝરત રસુલૂલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ એઅ્‌તિકાફની હાલતમાં આ બધા કામો કરતા હતા.   (મબસૂત ભા.૩/૧ર૬, બદાઈઅ ભા.ર/૧૧૬)

                ઉપરોકત વિગતથી માલૂમ પડયું કે મુઅતકિફ માટે મુહરિમ જેવી બધી પાબંદીઓ નથી અને મુહરિમ માટે ખુશ્બૂદાર વસ્તુ ખાવા–પીવાની અને અત્તર વાપરવાની પાબંદી છે.         (શામી ભા.ર/૧૬ર)

                હઝરત ઈબ્ને ઉમર (રદિ.) થી નકલ છે કે એક માણસ હઝરત  રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં આવ્યો અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી પૂછયું કે હાજી કેવી હાલતમાં હોય છે ? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ જવાબ આપ્યો કે તેના વાળ (ગુસલ ન કરવાના અને કાંસકી ન કરવાના કારણે) ધૂળવાળા અને વિખરાયેલા હોય છે અને તે ખૂશ્બુ ત્યાગનાર હોય છે.(જેથી તેનું શરીર અને કપડાં દુર્ગંધવાળા હોય છે.)

(મિશ્કાત –રરર, મિર્કાત ભા.પ/ર૭૬)

Log in or Register to save this content for later.